બોલિવૂડ એક્ટર સની દેઓલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગદર 2ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 22 વર્ષ બાદ આ આઇકોનિક ફિલ્મની સિક્વલને લઇને ચાહકોમાં ઘણો ક્રેઝ છે. હાલ સોશિયલ મીડિયા પર ગદર 2ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં ડાયરેક્ટર અનિલ શર્માની ગદર 2નું મહાભારત સાથે કનેક્શન હોવાની ચર્ચા ચાલી રહી છે. તો શું આ સની દેઓલ ગદર 2 મહાભારતથી પ્રેરિત છે?
આખરે, ગદર 2નું રામાયણ-મહાભારત કનેક્શન શું છે?
વાસ્તવમાં, ગદર 2 ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન, જ્યારે સની દેઓલને પૂછવામાં આવ્યું કે શું તેણે ફિલ્મમાં વ્હીલ ઊંચક્યું છે, ત્યારે તે અને ઉત્કર્ષ મહાભારતના કૃષ્ણ અને અર્જુનની જેમ ઉભા હતા. મહાભારત અને રામાયણ કનેક્શનના સવાલ પર અનિલ શર્માએ જવાબ આપ્યો. અનિલ શર્માએ કહ્યું, ‘મારી ફિલ્મ ગદર 2 રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોથી ભારે પ્રેરિત છે. અગાઉની ફિલ્મ રામાયણથી પ્રેરિત હતી, જેમાં શ્રી રામ માતા સીતાને લેવા લંકા જાય છે, જેમ કે તારા સિંહ સકીનાને લેવા પાકિસ્તાન ગયા હતા.
ગદર 2નું ટ્રેલર ધમાકેદાર હતું
ગદર 2 નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ગયું છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફેન્સમાં તેને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 22 વર્ષ બાદ દર્શકોને ફરી એકવાર તારા સિંહ અને સકીનાની જોડી જોવા મળશે. આ વખતે તમને વાર્તામાં એક્શન અને ડ્રામા જોવા મળશે. ગદર 2ની કહાનીની વાત કરીએ તો 1970માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની ઝલક તેમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.