ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની એલિમિનેટર મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જે પણ ટીમ હારશે, તેની IPL 2024ની સફર અહીં સમાપ્ત થશે. IPL 2024 લીગ રાઉન્ડના પ્રથમ તબક્કામાં જ્યારે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી, ત્યારે RCB પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતું, પરંતુ બીજા તબક્કામાં RCBએ જોરદાર વાપસી કરી અને પ્લેઓફની ટિકિટ મેળવી લીધી. સતત છ મેચ જીતી. RCBના પૂર્વ કો-ઓનર વિજય માલ્યાએ એલિમિનેટર મેચ પહેલા એક પોસ્ટ શેર કરી છે, જેના માટે તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. વિજય માલ્યાને લાગે છે કે RCB માટે IPL ટ્રોફી જીતવાની આ શ્રેષ્ઠ તક છે.
તેણે સોશિયલ મીડિયા X પર લખ્યું, ‘જ્યારે હું RCB ફ્રેન્ચાઈઝી પર શરત લગાવું છું, ત્યારે હું વિરાટ કોહલી પર શરત લગાવું છું. મારા અંતરાત્માએ મને કહ્યું કે હું આનાથી સારી પસંદગી કરી શક્યો ન હોત. મારો અંતરાત્મા મને કહી રહ્યો છે કે RCB માટે IPL ટ્રોફી જીતવાની આ શ્રેષ્ઠ તક છે. દરેક પરિસ્થિતિમાં સાથે, શુભેચ્છા.
When I bid for the RCB franchise and I bid for Virat, my inner instinct told me that I could not have made better choices. My inner instinct tells me that RCB have the best chance to go for the IPL Trophy. Onward and Upward. Best of luck.
— Vijay Mallya (@TheVijayMallya) May 21, 2024
IPL 2024માં RCBની સફર ઘણી રોમાંચક રહી છે. ટીમને પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે હાર આપી હતી. આ પછી RCBએ પંજાબ કિંગ્સને હરાવીને વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત છ હાર બાદ RCB માટે પ્લેઓફની ટિકિટ લગભગ અશક્ય બની ગઈ. સતત છ હાર બાદ, RCB પાસે પ્લેઓફમાં પહોંચવાની માત્ર 1 ટકા તક હતી. આ પછી RCBએ બેક ટુ બેક છ મેચ જીતી, આ સિવાય અન્ય ટીમોના કેટલાક પરિણામો પણ RCBની તરફેણમાં ગયા અને આ રીતે RCBએ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી. રાજસ્થાન રોયલ્સ વિશે વાત કરીએ તો, ટીમ આઉટ ઓફ ફોર્મ છે અને હવે જોસ બટલર પણ ટીમ સાથે નથી, તેથી અહીં આરસીબીનો હાથ ઉપર હોવાનું જણાય છે.